Friday 29 May 2015

થોડુક મારા વિષે

જીવન ની સકારાત્મકતા મારામાં વણાયેલી છે અને આ જ સકારાત્મકતા ને બધાપાસે પહોંચાડવા હું લખું છું, હું માતંગી , મારા માટે લખવું એક ઉત્સવ છે, મારા માટે લખવું એ એક સમય પસાર કરવાનું નહિ પણ સમય કાઢીપોતાના માટે કઈક કરવાનું છે, લખવું એ મારો શોખ નથી, જરૂરિયાત છે, મને હમેશા હોંશ માં રાખે છે મારું લખાણ . મને મિત્રો, પ્રેમ, જિંદગી, વિષે લખવું ગમે છે, હું દુખી હોવ તો લખું તો હું ખુબ જ રાજી થઇ જાવ છું. હું માતંગી મને મારામાં રહેવું ગમે છે, લોકો કદાચ મને સ્વાર્થી ગણે તો ભલે પણ હું જો મને જ ખુશ નહિ રાખું તો બીજા ને ખુશ કેમ રાખીશ, બસ આજે આટલું જ પછી રોજ કઈક લખવાનું છે.

No comments:

Post a Comment